મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ એક તરફ રાજસ્થાનમાં કોરોના કહેર યથાવત રીતે વધી રહ્યો છે ત્યારે ગુજરાતની તમામ બોર્ડર ફરી એકવાર સિલ થઈ રહી છે, ત્યારે ગુજરાતની સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર પર ચેકીંગ વધારી બોર્ડર સિલ કરાઇ છે તેમજ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ નહીં ધરાવનારને જે તે રાજ્યમાં ફરી મોકલવામાં આવી રહ્યા છે.

રાજસ્થાન તેમજ ગુજરાત વચ્ચે આવેલી તમામ બોર્ડર ઉપર હાલ માં કોરોના સંક્રમણને કાબુમાં લેવા સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. જે અંતર્ગત સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર ફરી સિલ કરાઈ છે. જોકે ૧૫ દિવસ અગાઉ પણ લોકડાઉન વધતા રાણી બોર્ડરને બંધ કરવામાં આવી હતી. હાલમાં બંને રાજ્યોની પોલીસ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથો સાથ જે તે મુલાકાતી નો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ નહીં ધરાવનારને રાજ્યમાં ફરી મોકલવામાં આવશે જોકે બંને રાજ્યોની એસટી બસોને હાલ પૂરતી બોર્ડર પર આવેલા રૂટ બંધ કરાયા છે. તેમજ ખાનગી વાહનોને પોલીસ અને આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધરી કોરોના મહામારી મામલે વધુ ઠોસ પગલાં ઉઠાવ્યા છે.