મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેરના વિંઝોલ ખાતેની શ્રી પ્રયોસા રેસિડેન્સીમાં બે પરિવારના ભાઈઓએ બાળકોની હત્યા કરી દીધા પછી પોતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભાઈઓ અને બાળકો મળી કુલ 6 લાશને પોલીસે પોસ્ટ મોર્ટમ મટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. તેમણે આપઘાત શા કારણે કર્યો તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે.

પોલીસને જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલથી જ બન્ને ભાઈઓનો પરિવાર ગુમ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વટવામાં હાથીજણ સર્કલ પાસે પ્રયેસા રેસિડેન્સીમાં આ ઘટના બની છે. મૃતક ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ બે ભાઈઓ છે અને કિર્તિ, ધ્રુવ, સાનવી અને મુયર તેમના સંતાનો છે. તેઓ બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. બાળકોને તેઓ ફરવા લઈ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી ગયા હતા. આ ફ્લેટ તેમણે છ મહિના પહેલા જ રાખ્યો હતો પણ ત્યાં રહેતા ન હતા. આમ તો એક ભાઈનું ઘર વટવામાં અને બીજા ભાઈનું ઘર હાથીજણ છે. બે દિવસ પહેલા ભાઈઓ બાળકોને ફરવા લઈવાનું કહી લઈ ગયા હતા. જ્યાં અહીં તેમણે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યા કરી લીધી હતી.

મૃતકોના નામ

1- અમરીશ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ ૪૨

2- ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ 40

3- મયુર અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 12

4- ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ ૧૨

5- કીર્તિ અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ ૯

6- શાનવી ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ 7