મેરાન્યૂઝ નેટવર્ક.ગાજિયાબાદઃ મોદીનગર સ્થિત બખરવા ગામમાં એક મીણબત્તીના કારખાનામાં રવિવારે ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 7 વ્યક્તિના મોત થઈ ગયા છે જ્યારે 4 વ્યક્તિ ઘાયલ થયા છે. ગાજિયાબાદ જિલ્લામાં અધિકારી અજય શંકરે ધડાકાની પૃષ્ટી કરતાં કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ઘટના કેવી રીતે બની તેની પોલીસ તપાસ કરી રહી છે.

તંત્રએ મૃતકોની ઓળખ કરવા માટે અને રાહત બચાવ કામગીરીમાં લાગી ગયું છે. ફેક્ટરીમાં આગ લાગવાની સૂચના મળતાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડ ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ત્યાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કારખાનામાં આગ લાગવાની ઘટનામાં જિલ્લા અધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકને સ્થળ પર પહોંચી ઘાયલોને તુરંત રાહત મળે તેવા પ્રયત્નો કરવાની સૂચના આપી છે. સાથે જ ઘટના સ્થળની તપાસ કરીને આજ સાંજ સુધીમાં રિપોર્ટ મોકલવાનું કહ્યું છે.