મેરાન્યૂઝ નેટવર્ક.ગાજિયાબાદઃ મોદીનગર સ્થિત બખરવા ગામમાં એક મીણબત્તીના કારખાનામાં રવિવારે ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 7 વ્યક્તિના મોત થઈ ગયા છે જ્યારે 4 વ્યક્તિ ઘાયલ થયા છે. ગાજિયાબાદ જિલ્લામાં અધિકારી અજય શંકરે ધડાકાની પૃષ્ટી કરતાં કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ઘટના કેવી રીતે બની તેની પોલીસ તપાસ કરી રહી છે.
7 persons dead and 4 injured in an explosion at a factory in Modi Nagar: Ajay Shankar Pandey, District Magistrate Ghaziabad pic.twitter.com/cToV9d5eO9
— ANI UP (@ANINewsUP) July 5, 2020
તંત્રએ મૃતકોની ઓળખ કરવા માટે અને રાહત બચાવ કામગીરીમાં લાગી ગયું છે. ફેક્ટરીમાં આગ લાગવાની સૂચના મળતાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડ ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ત્યાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કારખાનામાં આગ લાગવાની ઘટનામાં જિલ્લા અધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકને સ્થળ પર પહોંચી ઘાયલોને તુરંત રાહત મળે તેવા પ્રયત્નો કરવાની સૂચના આપી છે. સાથે જ ઘટના સ્થળની તપાસ કરીને આજ સાંજ સુધીમાં રિપોર્ટ મોકલવાનું કહ્યું છે.
उ.प्र. CM ने गाजियाबाद के मोदीनगर के बखरवा गांव में मोमबत्ती कारखाने में आग लगने की घटना में DM एवं वरिष्ठ पुलिस अधीक्षक को मौके पर पहुंचकर घटना के घायलों को तत्काल राहत पहुंचाने के निर्देश दिए हैं और घटनास्थल की जांच कर आज शाम तक रिपोर्ट प्रस्तुत करने को कहा है: उत्तर प्रदेश CMO https://t.co/IP7vHb8SmG pic.twitter.com/eYZWst7J3R
— ANI_HindiNews (@AHindinews) July 5, 2020