મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરોના સીલ્કરૂટ તરીકે જાણીતો છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી દારૃબંધીની અમલવારી માટે શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતા બુટલેગરો સહીત બુટલેગરો સાથે ભાઈબંધી ધરાવતા અધિકારીઓ અને કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે અગાઉ શામળાજી પોલીસે સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવામાં સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે ત્યારે શામળાજી પોલીસ મથકમાં ફરજ બજાવતા શક્તિસિંહ નાથુસિંહ અને ભરતસિંહ માનસિંહ નામના બે કોન્સ્ટેબલની જીલ્લા પોલીસવડાએ જાહેરહિતમાં હેડક્વાટર ખાતે બદલી કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વહીવટદાર તરીકે જાણીતા બનેલ શક્તિસિંહ નાથુસિંહ અને ભરતસિંહ માનસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલ બુટલેગરો અને અસામાજિક પ્રવર્તીઓ સાથે સંકળાયેલ લોકો સાથે ભાઈબંધી રાખતા હોવાની બૂમો ઉઠી હતી આ અંગેની જાણ જીલ્લા પોલીસવડા સંજય ખરાતના કાને પહોંચતા બંને કોન્સ્ટેબલની તાત્કાલિક જાહેરહીતમાં પોલીસ હેડક્વાટર ખાતે કરવામાં આવી હોવાની માહતી પ્રાપ્ત થઇ છે અરવલ્લી જીલ્લામાં દરેક પોલીસ મથકે અલગ અલગ વહીવટદારો બની બેઠા છે ત્યારે જીલ્લા પોલીસવડાની કામગીરી થી વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે.