મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ લગભગ અઢી ડઝન લોકોની પૂછપરછ કર્યા બાદ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં પોલીસ ભલે કોઈ નિષ્કર્ષ પર આવી ન શકી હોય. પરંતુ, કેટલાક લોકો હજી પણ તેમના પોતાના અનુસાર આ ઘટનાની ઉંડાણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. એન. કે. સુદ નામના વ્યક્તિના વીડિયોને લઈને શનિવાર સવારથી જ મુંબઈ પોલીસ પરેશાન છે. આ કેસની તપાસ કરી રહેલા લોકોએ પણ આ વીડિયોની તપાસ શરૂ કરી દીધી છે. આ વીડિયોમાં ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ પરના ગંભીર આરોપોની વાત છે.

પોતાની જાતને ભારતની ગુપ્તચર એજન્સી રોના પૂર્વ કર્મચારી ગણાવતા એન. કે. સુદે યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કરીને આ ઘટના અંગે એક નવી થીયરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે સુશાંત સાથેની ઘટનામાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ છે. એન. કે. સૂદે અત્યાર સુધીની બધી બાબતોને જોડીને એક સમીકરણ બનાવ્યું છે, જેમાં તે કહે છે કે સુશાંતે આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેની હત્યા કરાઈ હતી.

તેના વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમના લોકો સુશાંતને ફોન પર ધમકી આપી રહ્યા હતા, જેના કારણે સુશાંતની અંદર તણાવ વધી રહ્યો હતો. આ લોકોથી બચવા માટે, સુશાંતે છેલ્લા મહિનામાં 50 સીમકાર્ડ પણ બદલાયા હતા. એનકે સૂદે આક્ષેપ કર્યો છે કે સુશાંતની દરેક હીલચાલ વિશેની માહિતી તેના નજીકના ફિલ્મ નિર્માતા મિત્ર સંદીપ સિંહને સલમાન ખાન અને કરણ જોહરને અને પછી સીધી અંડરવર્લ્ડમાં પહોંચાડવામાં આવી હતી.

એન. કે. સુદ નામના શખ્સે પોતાના વીડિયોમાં કહ્યું છે કે, સુશાંતની બિલ્ડિંગના સીસીટીવી કેમેરા કાં તો એક દિવસ પહેલા જ બંધ અથવા તો ખામીયુક્ત હતા. તે એક સુચારુ ષડયંત્ર હેઠળ કરવામાં આવેલ હત્યા છે અને તે કોઈ બહારના વ્યક્તિનું કામ નથી પરંતુ તેની નજીકના કોઈનું કામ છે. જો કે તપાસમાં મુંબઈ પોલીસને આવું કંઈ મળ્યું નથી. મુંબઈ પોલીસનું કહેવું છે કે સીસીટીવી કેમેરા બંધ ન હતા.

સુશાંતે આત્મહત્યા કરી તે પહેલાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઘર છોડી ગઈ હતી. એન.કે.સુદે પણ આ ઘટનાને કાવતરું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે રિયાએ મહેશ ભટ્ટ અને સંદીપ સિંહના કહેવાથી સુશાંતને છોડી દીધો હતો. સુદનો દાવો પણ છે કે મહેશ ભટ્ટ આ ઘટનાથી સંપૂર્ણ વાકેફ હતા. તેણે પોતાના વીડિયોમાં પાકિસ્તાનના ઇવેન્ટ મેનેજર રેહાન સિદ્દીકી અને બ્રિટિશ ઉદ્યોગપતિ અનિલ મુસરરત સાથે અન્ડરવર્લ્ડ અને હિન્દી સિનેમા સાથે કેસ જોડ્યો છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને બાંદ્રા સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના નજીકના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે સુશાંતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેનું મોત પણ ગૂંગળામણના કારણે થયું હતું. સુશાંતના આંતરિક અવયવોની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી છે જેમાં કોઈ પણ પ્રકારના ઝેર અથવા રાસાયણિક પદાર્થનો કોઈ પત્તો મળ્યો નથી. આ કેસમાં પોલીસ તેની સાથે સંકળાયેલા લોકોની સતત પૂછપરછ કરી રહી છે.