મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠાના વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજી હતી. આ સભામાં વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરી લોકોને પાછલા વર્ષોની યાદ અપાવી આગામી સમયમાં ભાજપ તરફી મતદાન કરી સ્થાનિક સહિત દેશના વિશ્વ કક્ષાએ લઇ જવા હાકલ કરી હતી.

સાબરકાંઠાના વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સ્થાનિક નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભાજપ તરફી મતદાન કરવા હાજર રહેલા સૌ કોઈને હાકલ કરી હતી. સાથોસાથ વિતેલા વર્ષોમાં સ્થાનિક નેતાઓને ભોગવવી પડતી હાલાકી અંગે જાગૃત કર્યા હતા. પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ૧૯૯૫ સુધી પાણી મેળવવા માટે પાણીની ડંકીની રાહ જોવી પડતી. છેલ્લા ઘણાં વર્ષોથી ચાલતા ભાજપના એક હત્થા શાસનની વાત સાથે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મામલે જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી મોકલેલો રૂપિયો ગામના સુધી પહોંચતા પૈસા થઈ જાય છે. જ્યારે મોદી સરકાર રૂપિયા પરત આપે છે. ત્યારે નીચેથી ઉપર સુધી એક જ કંપનીની પાઇપલાઇન હોય તો લીકેજ ખૂબ ઓછું હોય છે. કોંગ્રેસમાં સૌથી મોટી તકલીફ લીકેજની રહી હતી.


 

 

 

 

 

જ્યારે આજે કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે ઘેર પાણી પહોંચાડવાની જહેમત આદરી છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રૂપિયા પાંચ લાખની સહાય સૌ કોઈને મળી રહે તે માટેની આયુષ્માન યોજના રજૂ કરી છે. સાબરમતી નદીમાં સર્કસની જગ્યાએ સી પ્લેન ઉતરે એટલો વિકાસ કર્યો છે. જો કે વિપક્ષ અને આજે પણ આક્ષેપ કરવામાં જ રસ છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વ અચંબિત હતું ત્યારે ભારતે એકમાત્ર લેબોટરીની જગ્યાએ આજે ૭૦૦ લેબોટરી ઊભી કરી છે અને કોરોના માટે વપરાતી કીટ વિદેશમાં મોકલવાની મથામણ આદરી છે. જો કે કોંગ્રેસીઓ માત્ર રસીને પણ ભાજપની રસી ગણે છે ત્યારે આવી વિચારધારા ઉપરથી નીચે સુધી છે. 

આ તબક્કે તેમને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કસમ મામલે તેમણે આપેલું નિવેદન હળાહળ ખોટું છે. તેમને જણાવ્યું હતું કે અસમમાં આજની તારીખે 300 રૂપિયા મજુરી કામ કરે છે જોકે 160 રૂપિયા મજુરી કોંગ્રેસના સમયગાળા દરમિયાન મળતી હતી. જે આજે 300 હોવા છતાં માહિતીના અભાવે માત્ર આક્ષેપો જ થાય છે. જોકે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અનુસાર અમારી સરકારમાં રૂપિયા 300 અમે ગુજરાતના વેપારીઓ પાસેથી ખંખેરીને આપીશું તો આ મામલે પુરુષોત્તમ રૂપાલા એ જાહેરમાં કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે જવાબ માગ્યો છે કે ગુજરાતના વેપારીઓથી તમને શું તકલીફ છે. 28 તારીખ પહેલા આ મામલે ચોખવટ કરે તે આવશ્યક છે. જોકે આજે કોંગ્રેસ રાષ્ટ્રીય સેક્રેટરી રહી ચૂકેલા મધુસૂદન મિસ્ત્રીનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને રાષ્ટ્રીય સુરક્ષા વિશે બોલવાનો અધિકાર નથી. વિપક્ષે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માગ્યા હતા અને હાલમાં ભારત સરકાર રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રો હવે સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરી રહ્યું છે ત્યારે આ મામલે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ એકવાર જાણી લેવાની જરૂરિયાત છે. જોકે આજે યોજાયેલી સભા આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ કેટલી જીત અપાવે છે તે પણ મહત્વનું બની રહે છે.