મેરાન્યૂઝ નેટવર્ક, વિજયવાડા: એક સમયે એનડીએ ગઠબંધનનો મહત્વનો હિસ્સો રહેલા અને બાદમાં અલગ થઇ ગયેલા ટીડીપી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન મોદી પર એક કાર્યક્રમ દરમિયાન ટીકા કરતા કહ્યું કે મોદી જાહેરાતો કરી વાયદાઓ પૂર્ણ ન કરનારા વડાપ્રધાન છે. ભાજપ 2019માં ભાજપ સત્તા પર નહીં આવે તે વાત નિશ્ચિત છે.
તેલુગુ દેશમ પાર્ટીના વાર્ષિક સંમેલનનાં ઉદ્ધાટન પ્રસંગે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે અમારી પાર્ટી ટીડીપીએ ભૂતકાળમાં સરકાર રચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પાર્ટી પાસે દેશના રાજકીય પરિદ્રશ્યને બદલવાની તાકાત પણ હતી. 2019માં સ્થાનિક પક્ષો કિંગમેકર હશે. બધા સ્થાનિક પક્ષો ભાજપને હરાવવા માટે એક સાથે આવી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ હારનો સ્વાદ ચાખશે. કોંગ્રેસ હાલ વિરોધ પક્ષમાં છે અને તે કશુ વધુ નહીં કરી શકે. પરંતુ ભાજપ નિશ્ચિત રીતે 2019માં સત્તામાં નહીં આવે. નરેન્દ્ર મોદી માત્ર પ્રચાર કરનારા છે, તેમણે માત્ર નારાબાજી કરી છે અને વાયદાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યાં છે.