મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણું સંવિધાન ફક્ત અનેક ધારાઓનો સંગ્રહ નથી, પણ આ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા, અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. પ્રધાનમંત્રી મોદીએ આ વિચાર શુક્રવારે સંવિધાન દિવસ પર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે આ સંવિધાન દિવસ એટલે પણ મનાવવો જોઈએ, કારણ કે આપણો જે રસ્તો છે તે યોગ્ય છે કે નહીં તેનું મુલ્યાંકન કરવાનું છે. બાબા સાહેબ આંબેડકરે જે આપણને અને દેશને ભેટ આપી છે, આ તેને યાદ કરવાનો દિવસ છે. સદનનેને પ્રણામ કરવાનો દિવસ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દુરંદેશી મહાનુભાવોને નમન કરવાનો દિવસ છે. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત હતા. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત 14 વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં સંવિધાન દિવસ કાર્યક્રમથી દિવસ કાર્યક્રમથી અંતર રાખ્યું હતું. કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કોંગ્રેસના મનિકેમ ટૈગોરે કહ્યું હતું કે આ સરકારના મનમાં સંવિધાનના પ્રત્યે સમ્માન નથી.
Advertisement
 
 
 
 
 
પીએમએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ છે, આવી સ્થિતિમાં આપણે બધાએ અનુભવ્યું કે બાબાસાહેબે આ દેશને જે શ્રદ્ધાંજલિ આપી છે તેનાથી મોટો પવિત્ર અવસર કયો હોઈ શકે, આપણે તેને હંમેશા યાદ રાખવું જોઈએ. દેશ એક એવા સંકટ તરફ આગળ વધી રહ્યો છે જે સંવિધાનને સમર્પિત લોકોના માટે ચિંતાનો વિષય છે, લોકતંત્રના પ્રત્યે આસ્થા રાખનારા લોકો માટેઆ ચિંતા જનક છે. સંવિધાનની ભાવનાને પણ હાની પહોંચી છે, સંવિધાનની એક એક ધારાને પણ હાની પહોંચી છે, જ્યારે રાજનૈતિક દળ પોતાનામાં પોતાના લોકતાત્રિક કેરેક્ટરને ગુમાવી દે છે. જે દળ સ્વયં લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી ચુક્યા હોય, તે લોકતંત્રની રક્ષા કેવી રીતે કરી શકે છે?
વડા પ્રધાને કહ્યું કે મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા ચળવળમાં અધિકારો માટે લડતી વખતે પણ ફરજો માટે તૈયારી કરવાનો પ્રયાસ કર્યો હતો. દેશની આઝાદી પછી ફરજ પર ભાર મૂકવામાં આવ્યો હોત તો સારું થાત. આઝાદીના અમૃત પર્વમાં આપણા અધિકારોનું રક્ષણ થાય તે માટે આપણે ફરજના માર્ગે આગળ વધવું જરૂરી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, તેમણે દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, બંધારણ આપણા મહાન સાંસ્કૃતિક વારસા અને આદર્શોનો પવિત્ર ગ્રંથ છે. તે આપણા અધિકારોનો સ્ત્રોત છે, જે આપણને આપણી ફરજોથી પણ વાકેફ કરે છે.બંધારણ એક એવી ભાવના છે જે આપણને જોડવાની શક્તિ આપે છે. બંધારણ લોકોની આશાઓ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવાનો માર્ગ બતાવે છે. આવા અદ્ભુત બંધારણની રચના કરનાર આપણા બંધારણના ઘડવૈયા મુનિઓને વંદન.