મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: ગુજરાત કોંગ્રેસે ભાજપની જનઆશીર્વાદ યાત્રા સામે કોવિડના દર્દીઓ-મૃતકોને ન્યાય અપાવવા માટે ૧૬ ઓગષ્ટથી મહિના સુધી ‘ન્યાય યાત્રા’ યોજી કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના શ્રદ્ધાંજલી અર્પી સાંત્વના આપવા ઘરે ઘરે ફરી રહ્યા છે. સાથે કોવિડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય આપવાની માગ કરી છે.કોંગ્રેસની ન્યાય યાત્રા અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શિક્ષણ દિવસે રાજ્યમાં સૌથી વધુ શિક્ષકો આપનાર સાબરકાંઠા હિંમતનગર તાલુકાના હડીયોલ ગામે પહોંચ્યા હતા અને રાજ્યમાં કોરોનાથી ત્રણ લાખ કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું જણાવી સરકાર સામે ભારે આક્ષેપ કર્યા હતા.
સાબરકાંઠામાં આજે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી ન્યાય યાત્રામાં જોડાયા સાથે બે ગામોમાં કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના ઘરે પહોચી સાંત્વના આપી અને સહાય માટેના ફોર્મ ભરાવી કોરોનાથી બચવા માટેના સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
Advertisement
 
 
 
 
 
કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા લોકો માટે કોંગ્રેસ આગળ આવી છે. જેને લઈને મૃતક સ્વજનોના પરિવારજનોને સરકાર સહાય આપે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે અને શરુ કરી છે. રાજ્યમાં કોંગ્રેસ ધ્વારા ન્યાય યાત્રા જે ગામે ગામ ફરે છે. અને મૃતકોના ઘરે જઈને સાત્વના અને સહાય માટે ફોર્મ ભરાવે છે જેને ભાગરૂપે આજે કોંગ્રેસના વિરોધ પક્ષના પ્રમુખ પરેશ ધનાણી હિમતનગરના હડીયોલ અને પરબડા બે સ્થળે કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોની મુલાકાત લીધી હતી.જેમાં પ્રથમ હિમતનગરના હડીયોલમાં કોંગ્રેસના વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાણી ન્યાય યાત્રામાં જોડાયા હતા.જેમાં જીલ્લા પ્રમુખ અને મહિલા સહીત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.હડીયોલમાં પરેશ ધનાણી કોરોનામાં મૃત્યુ પામેલા સ્વજનોના ઘરે ગયા હતા અને ત્યાં જઈને તેમને શ્રદ્ધાજ્ન્લી આપી હતી ત્યાર બાદ પરિવારજનોને સાંત્વના આપી સરકારી સહાય મળે ચાર લાખની તે માટેના ફોર્મ ભરાવ્યા હતા.તો કોરોનાથી બચવા માટેના ઉપાયો અને સાવધાની રાખવા માટેની વાતો કરી હતી. સરકાર મૃતકોને જલ્દી સહાય આપે તેવી માંગ પણ કરી હતી.આમ શિક્ષક દિવસે શિક્ષણનગરી હડીયોલમાં પરેશ ધનાણી ડોક્ટર બની ગયા અને ન્યાય યાત્રા સાથે કોરોનાથી બચવાની સલાહ સુચન સાથે માર્ગદર્શન આપ્યું હતું.