મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  અમદાવાદ નજીક બારેજા- મહિજડા રોડ પર પતરાંના મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારનાં સાત લોકોનાં મોત થયાં હતાં. મંગળવારે રાતે બનેલી ઘટનામાં ગુરુવારે સારવાર દરમિયાન ત્રણ, શુક્રવારે ચાર અને આજે સવારે વધુ એક મહિલા સીમાબાઈ અહીરવાર (ઉં.વ.25)નું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. ઘટનાનો ભોગ બનેલા મધ્યપ્રદેશના પરિવારમાં શોક ફેલાયો છે. એક જ પરિવારના મૃતકો મધ્ય પ્રદેશના હોવાથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ દુખની લાગણી વ્યક્ત કરી હતી. 

ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.જાડેજાના જણાવ્યા અનુસાર પરિવાર મકાનમાં સૂતો હતો અને ગેસ-લીકેજથી બ્લાસ્ટ થતાં 7 લોકોનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આજે વધુ એકનું મોત થયું છે. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. દસક્રોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પરિવાર પતરાંના મકાન બનાવીને રહેતા હતા. 

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાતે પરિવારના મકાનમાં ગેસ સિલિન્ડર ચાલુ રહેતા લિકેજ થયું હતું. પાડોશમાં રહેતા પરિવારને ગંધ આવતા તેઓએ દરવાજો ખખડાવ્યો હતો અને તેમાં ઘરમાંથી લાઈટ ચાલુ કરતા જ મોટો બ્લાસ્ટ થયો હતો.