મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: ચોટીલાના સૂરજ દેવળ ખાતેના સંમેલનમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ ગુનો દાખલ કરી બુધવારે સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને રાત્રિના અંદાજે 8.30 કલાકે શહેરના બી-ડિવિઝનમાં લાવવામાં આવ્યા હતા. ધરપકડ મામલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ તેમજ એલસીબી ટીમ, સિટી એ ડિવિઝન, સિટી બી-ડિવિઝન, જોરાવરનગર તેમજ વઢવાણ સહિતની પોલીસ ટીમોને તૈનાત રાખવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા રાજ શેખાવતને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે. 

બી-ડિવિઝનમાં અંદાજે 18.30 કલાક એક સામાન્ય આરોપીની જેમ જમવાની સાથે રાજ શેખાવતને રાખવામાં આવ્યા હતા. બીજી તરફ બુધવારની રાત્રે રાજ શેખાવતના સમર્થનમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને લોકો બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં રોષ ઠાલવતા જણાવ્યું કે રાજ શેખાવતની થલતેજ સિક્યુરિટી ઓફિસે હાજર હતા ત્યારે 50-50 ગાડી સાથે પોલીસ કાફલો લઇને જેમ કે કોઇ આંતકવાદીની ધરપકડ કરવામાં આવતા હોય તેમ ધરપકડ કરવામાં આવી હતી.  સરકારને ત્રણ મહિના પછી ખબર પડી કે આ નિવેદન સરકાર વિરુદ્ધ છે.