મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: કોમી એકતાના પ્રતિક ગણાતા ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુનું આજે બપોરે ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. જેને લઈને મોટી સંખ્યામાં આ જગ્યાના સેવકોમાં શોકની લાગણી ફરી વળી છે. સ્વ. વિઠ્ઠલબાપુ છેલ્લા ઘણા વર્ષોથી ગીરનારની ઉપલા દાતારની જગ્યાના મહંત તરીકે બિરાજતા હતા. વિઠ્ઠલબાપુ ઉર્ષ તેમજ મેળામાં પણ તેઓ હંમેશા તમામ કોમના લોકો સાથે નજીકથી જોડાયેલા રહ્યા હતા. ટૂંકી બીમારી બાદ ગુરૂવારે બપોરે લોબાન વીધી બાદ વિઠ્ઠલબાપુએ અંતિમશ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે ફરી વળતા અંતિમદર્શન માટે લોકો ઠેર-ઠેરથી જૂનાગઢ પહોંચી રહ્યા છે.