મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વર્ષ 2020 ને પુરુ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. જો તમારે બેન્કનું કોઈ જરૂરી કામ હોય તો આ સમાચાર તમારે જાણવા જેવા છે. કોરોના વાયરસની મહામારીના પ્રકોપના આ સમયમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ખુબ જરૂરી છે. તેથી ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેન્કએ નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગના દ્વારા પોતાના બેંકિગ કામોને પુરા કરવાની સલાહ આપી છે. પણ જો બ્રાંચ પર જવું જરૂરી હોય તો ગ્રાહકોએ એ જરૂર જાણી લેવું જોઈએ કે બેન્કો ક્યાં સુધી ચાલુ છે અને ક્યારે બંધ છે.
જો તમારી પાસે કોઈ તાકીદનું કામ છે, તો તેનો નિકાલ ગુરુવાર સુધી કરો કારણ કે તે પછી બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. આરબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 25 ડિસેમ્બર, એટલે કે શુક્રવાર, નાતાલનો તહેવાર છે અને આ દિવસ રાષ્ટ્રીય રજા છે. આ પછી મહિનાના ચોથા શનિવાર અને પછી રવિવાર એટલે કે 26 અને 27 ડિસેમ્બર છે. તેથી બેંકો કુલ ત્રણ દિવસ માટે બંધ રહેશે.
શેરબજાર પણ બંધ રહેશે
તે જાણીતું છે કે ઘરેલું શેરબજાર પણ 25 ડિસેમ્બરના રોજ બંધ છે. આ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) પર કોઈ વેપાર થશે નહીં. 28 ડિસેમ્બરે ફરીથી શેર બજારમાં સામાન્ય રીતે વેપાર શરૂ થશે.