મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રિયા રમાણી Vs એમજે અકબર- દિલ્હીની એક અદાલતે ગુનાહિક માનહાની મામલામાં પત્રકાર પ્રિયા રમાણીને નિર્દોષ જાહેર કરી છે. યૌન ઉત્પીડનના આરોપો પર રમાણીના સામે એમજે અકબરે કેસ કર્યો હતો. કોર્ટે પત્રકાર પ્રિયા રમાણીને ગુનાહિત માનહાની કેસમાં દોષિત માનવાથી ઈન્કાર કરતાં પ્રિયાને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધી છે. પ્રિયા રમાણીએ વર્ષ 2018ના #MeToo કેમ્પેન દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને અકબરે તેની સામે 15 ઓક્ટોબર 2018 એ આ ફરિયાદ કરી હતી. મેજીસ્ટ્રેટ રવીંદ્ર કુમારે અકબર અને રમાણીના વકીલોની દલીલો પુરી થયા પછી એક ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણ 10 ફેબ્રુઆરી માટે સુરક્ષીત કરી લીધો હતો. જોકે 10 ફેબ્રુઆરીએ નિર્ણય 17 ફેબ્રુઆરી માટે ટાળી દેવાયો હતો કારણ કે બંને પક્ષોની લેખિત દલીલો સોંપાઈ છે તેથી નિર્ણય સંપૂર્ણ રીતે લખાયો નથી.


 

 

 

 

 

કોર્ટે આ દરમિયાન કેટલીક મહત્વની બાબતો કહી હતી, કોર્ટે કહ્યું કે, આપણા સમાજને તે સમજવામાં સમય લાગે છે કે કેટલીકવાર માનસિક આઘાતને કારણે પીડિત વર્ષો સુધી બોલવામાં અસમર્થ રહે છે. જાતીય શોષણ સામે અવાજ ઉઠાવવા બદલ મહિલાઓને સજા થઈ શકે નહીં.
સ્ત્રીઓ ઘણીવાર સામાજિક દબાણ હેઠળ ફરિયાદ કરતી નથી. જાતીય દુર્વ્યવહાર અને પરેશાનના પ્રભાવને સમાજે તેના પીડિતો પર સમજવું જોઈએ.

જાતીય દુર્વ્યવહાર ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે લઈ જાય છે. ગૌરવના હકને ગૌરવના અધિકારના ખર્ચે સુરક્ષિત કરી શકાતા નથી. મહિલાને અધિકાર છે કે તે દાયકાઓ પછી પણ કોઈ પણ પ્લેટફોર્મ પર પોતાની ફરિયાદ મૂકવાનો છે. બદનામી કરીને સ્ત્રીને રોકી અને સજા કરી શકાતી નથી.

કોર્ટે મહાભારત અને રામાયણનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે જ્યારે લક્ષ્મણને સીતાનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે માતા સીતાના પગ સિવાય અન્ય ક્યાંય તેનું ધ્યાન નથી.