મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું આજે રવિવારે સવારે નિધન થઈ ગયું છે. તે ઘમા સમયથી બીમાર રહેતા હતા. જસવંત સિંહ 82 વર્ષના હતા. તે અટલ બિહારી બાજપેયી સરકારમાં મંત્રી રહી ચુક્યા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ સહિત ઘણા રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માટે કહ્યું કે તેમને હંમેશા એક અલગ પ્રકારની રાજનીતિ માટે યાદ કરાશે. તેમણે ભાજપને મજબૂત બનાવવામાં પણ યોગદાન આપ્યું. હું હંમેશા અમારી વચ્ચેની વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર અને સમર્થકોના પ્રતિ સંવેદના.
પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, જસવંત સિંહજીએ આપણા દેશની સેવા પુરી મહેનતથી કરી, પહેલા એક સૈનિકના રુપમાં અને પછી રાજનીતિ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. અટલજીની સરકાર દરમિયાન તેમણે મહત્વના વિભાગોને સંભાળ્યા અને નાણાં, રક્ષા અને બહારી મામલાઓની દુનિયામાં એક મજબૂત છાપ છોડી. તેમના નિધનથી હું દુઃખી છું. માનવેન્દ્ર સિંહ સાથે વાત કરી અને જસવંત સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. જસવંતજી ગત 6 વર્ષથી પુરી બહાદુરીથી બિમારી સાથે લડી રહ્યા હતા. માનવેન્દ્ર સિંહ જસવંત સિંહના નાના દિકરા છે.
અહીં કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર શું કહ્યું તે રજૂ કરાયું છે.
Jaswant Singh Ji will be remembered for his unique perspective on matters of politics and society. He also contributed to the strengthening of the BJP. I will always remember our interactions. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) September 27, 2020
देश के वरिष्ठ राजनेता एवं अटल जी की कैबिनेट में मंत्री रहे जसवंत सिंह जी का निधन दुःखद है और देश के लिए एक अपूरणीय क्षति है। सरकार व संगठन में विभिन्न पदों पर रहते हुए उन्होंने अपनी कर्तव्यनिष्ठा से एक गहरी छाप छोड़ी है। मैं उनके परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ। ॐ शांति
— Amit Shah (@AmitShah) September 27, 2020
पूर्व केंद्रीय मंत्री श्री जसवंत सिंह जी के निधन पर शोक व्यक्त करता हूँ।सैन्य अधिकारी व एक कुशल राजनीतिज्ञ के रूप में उन्होंने देश की उत्कृष्ट सेवा की।दोनों ही भूमिकाओं में उनकी सूझबूझ ने देश को अनेक बार विषम परिस्थितियों से बाहर निकाला।शोक संतप्त परिजनों के प्रति मेरी संवेदनाएं।
— Om Birla (@ombirlakota) September 27, 2020
Deeply pained by the passing away of veteran BJP leader & former Minister, Shri Jaswant Singh ji. He served the nation in several capacities including the charge of Raksha Mantri. He distinguished himself as an effective Minister and Parliamentarian.
— Rajnath Singh (@rajnathsingh) September 27, 2020