મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ બિહાર વિધાનસભામાં મંગળવારે વિપક્ષના સભ્યોના હંગામા અને વિધાનસભા અધ્યક્ષના ચેમ્બર બહાર ધરણાં આપવાના કારણે પહેલી વાર રાજ્યના સંસદીય ઈતિહાસમાં વિધાનસભાના અંદર પોલીસ આવી હતી. આ પછી પોલીસે સદનના અંદર પ્રવેશ કરી વિપક્ષના ધારાસભ્યોની જોરદાર ધોલાઈ કરી હતી. અહીં સુધી કે તેમને વિધાનસભા બહાર ઢસેડીને લઈ જવાયા હતા અને ત્યારે પોલીસ અધિકારીએ પાછળથી આવીને લાત મારી હતી. લોકતંત્રના મંદિરમાં અરાજક્તા ભર્યા દૃશ્યોના વીડિયો હવે વાયરલ થવા લાગ્યા છે.

આ દૃશ્ય જોઈ તમે વિચલિત થશો પરંતુ નીતીશ બાબુના રાજમાં એક સિપાહી વિપક્ષના ધારાસભ્યને કેવી રીતે ઢસેડે છે અને બીજો કેવી રીતે લાત મારે છે તે જોઈ શકાય છે. સ્પષ્ટ રીતે મંગળવારે જે થયું તે ન ફક્ત દુઃખદ હતું પરંતુ રાજ્યના સંસદીય ઈતિહાસ ઉપર એક કાળી શાહી હતી. જ્યાં સુધી પોલીસ કે આરએએફ (રેપીડ એક્શન ફોર્સ)ના જવાનોને બોલાવવાના નિર્ણ હતો તે સ્પષ્ટ રીતે વિધાનસભા અધ્યક્ષ વિજય સિન્હાનો હતો પરંતુ તેમણે પોતાના દરેક નિર્ણય અને ખાસ કરીને નિર્ણયને મુખ્યમંત્રી નીતીશ કુમારને પુછીને લીધા હોવાનું ચર્ચાય છે. જોકે વિપક્ષની ભૂમિકાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કે આખરે વિધાનસભા અધ્યક્ષને બંધક બનાવવાની જરૂરત જ શું હતી?

સદનના અંદર નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ હોય કે અધ્યક્ષની ખુરશી પર બેસીને સદન ચલાવી રહેલા પ્રેમ કુમાર હોય, તેમની સાથે કાગળ છીનવીને જે રીતે રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય વિપક્ષી દળના લોકો ફાડી રહ્યા હતા તેનાથી જ કોઈ અજુકંતુ બનવાનું જાણી શકાયું હતું. તેજસ્વી યાદવના નેતૃત્વમાં જેમ પુરું વિપક્ષ આક્રમક્તા સાથે બિહાર સશસ્ત્ર દળ બીલ પર સામે આવ્યું હતું તે કોઈ રીતે યોગ્ય માની શકાય નહીં.


 

 

 

 

 

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય વિજય શંકર દુબે કહે છે કે ગૃહમાં ઘર્ષણને સમાપ્ત કરવાનું કાર્ય સરકાર અને મુખ્ય પ્રધાનનું છે. તેમનું કહેવું છે કે વિપક્ષના સભ્યો પણ અધ્યક્ષની ખુરશી પર બેઠા છે. ખુદ નીતીશ કુમારના આદર્શ કર્પૂરી ઠાકુરે બે દિવસ, બે રાત ધરણા કર્યા હતા, પરંતુ તે સમયે રાષ્ટ્રપતિએ પોલીસને બોલાવવા અને તેમને હટાવવાની ભૂલ કરી ન હતી.

સંપૂર્ણ શરમજનક ઘટના બાદ આ બિલ પસાર કરતી વખતે મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના ભાષણમાં સ્વીકાર્યું હતું કે, આ ખરડા અંગે ફેલાયેલી મૂંઝવણને તેમના અધિકારીઓ દ્વારા બ્રિફીંગ આપવામાં આવી હોત તો તે ન બન્યું હોત. અહીં નીતીશ કુમારના અધિકારીઓનું રડવું છે કે, તેમને વિખેરવામાં આવી રહ્યા છે પરંતુ આવી કોઈ સૂચના તેમને આપવામાં આવી ન હતી. અધિકારી નીતીશ કુમારના મંત્રીમંડળના અધિકારીઓ અને કોઈ મંત્રી ત્રણ દિવસથી વધુ સમય સુધી આ બિલ પર બોલવાનું ટાળ્યું, કારણ કે મોટાભાગના લોકોએ કહ્યું હતું કે કેબિનેટમાં પણ આ અંગે કોઈ વિગતવાર ચર્ચા થઈ નથી. તેથી, જો તે અંતે બોલશે તો તે શું જવાબ આપશે કારણ કે તેમને પણ આ બિલ વિશે વિગતવાર જાણ ન હતી.