મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને હટાઓના બેનર્સ લાગ્યા છે. આ વિસ્તારમાં ગ્યાસુદ્દીન શેખ ઘણા લોકપ્રિય છે છતાં આ વિસ્તારમાં કોંગ્રેસને બચાવવી હોય તો ગ્યાસુદ્દીન શેખને હટાઓના બેનર્સ લાગતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ બેનરમાં લખવામાં આવ્યું છે કે, આ વિધાનસભાની બેઠક પર ઉમેદવારને બદલો. ઉમેદવાર બદલવાની માગણી પણ આ બેનરમાં કરવામાં આવી છે. જોકે આ બેનર્સ કોના દ્વારા લગાવયા છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.