મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘પદ્માવતી’ માં ઇતિહાસ સાથે તોડ મરોડ કરવાના આક્ષેપ સાથે આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોએ સંજય લીલા ભણસાળીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કરણીસેના દ્વારા ‘પદ્માવતી’ ફિલ્મનો વિરોધ કરાયા બાદ જન વિકલ્પ પાર્ટીના માર્ગદર્શક એવા શંકરસિંહ વાઘેલાએ પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.